લાલપુર ના પ્રોઢે બીમારી થી કંટાળી ઝેરી દવા ગટગટાવી

લાલપુર ના પ્રોઢે બીમારી થી કંટાળી ઝેરી દવા ગટગટાવી
Spread the love

જામનગર જીલ્લાના સણોસરા ગામે માનસિક બીમાર આધેડએ બીમારીથી કંટાળી પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ નોંધાયો છે. જેમાં લાલપુરના સણોસરા ગામે રહેતા જેઠાભાઇ દેવાભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના આધેડને માનસીક બિમારી સહન થતી ન હેાય અને કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી જતાં જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયા તેમનું મૃત્યુ થયું હતું.

બીજા બનાવમાં કાલાવડના મોટી માટલી ગામે રસીક ચનાભાઇની વાડીએ રહેતા ગીરીશ ભાવસંગ મખોદીયા (ઉ.વ.22) નામના યુવાને કોઇપણ કારણેાસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

images-3-16.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!