હળવદ ના ૭૧ ગામના સરપંચો ને ૧૫મા નાણા પંચની વહીવટી મંજુરી સમયસર નહીં મળતા આવેદનપત્ર આપ્યું

હળવદ તાલુકાના ૭૧ ગામના સરપંચોઓને ૧૫મા નાણા પંચની વહીવટી મંજુરી સમયસર નહીં મળતા આવેદનપત્ર આપ્યું
તમામ સરપચોએ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી ને રોષ વ્યક્ત કર્યો હતો
હળવદ તાલુકાના ૭૧ ગામોના સરપંચ દ્વારા વિકાસ કામોમાં વિલંબ થતો હોવાનું જણાવીને આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા દોડી આવ્યા હતાં રજૂઆત માં સરપંચોએ જણાવ્યું છે કે ૧૫માં નાણાપંચની વહીવટી મંજુરી સમયસર ના મળતા હળવદ તાલુકાના તમામ ગામોમાં વિકાસ કામોમાં રૂકાવટ થતા હોય જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
સરપંચો ઓઅવારનવાર રજૂઆત કરતા હોય છતાં કોઈ કાયૅવાહી નહીં થતા તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી ને રોષ વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો સરપંચોએ દ્વારા ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી
હળવદ તાલુકાના ૭૧ ગામના સરપંચો ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી વહીવટી મંજૂરી બાબતે મુશ્કેલીમાં મુકાયા છે ગામના વિકાસના કામો અટવાયા છે જેના કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે અનેકવાર સરપંચ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ નહીં મળતા હળવદ તાલુકાના ૭૧ ગામના સરપંચોઓએ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર જણાવ્યા પ્રમાણે હળવદ તાલુકાના જે તે ગામોના સરકાર તરફથી જ ભૂકંપ વખતે ગામના અલગ ફેરવણી અને સરકાર તરફથી મળેલ પ્લોટ આપેલ અને મકાન પણ બનાવી દીધેલ છતાં પ્લોટ હજુ સુધી સનત આપવામાં આવેલ નથી હળવદ તાલુકામાં વિકાસના કામે તેમજ ઉપર મુજબના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને પ્રશ્નો ના ઉકેલાય તો સરપંચોઓ દ્વારા ઉગ્ર આંદોલનની કરવાની ચિમકી આપી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
..