મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી તા.4 ના વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને અત્યાર સુધી આ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા ત્રણ કેમ્પમા 965 દર્દીઓએ લાભ લીધો હતો જેમાં કુલ 424 દર્દીઓના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા હતા
શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આગામી તા 4 ના રોજ કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર્સ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. અહીથી દર્દીને ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવામા આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સમાં નામ નોંધાવવાની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. આ કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. 4 ને શનીવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.98250 82468), હરીશભાઈ રાજા (મો.98792 18415), નિર્મિતભાઈ કક્કડ (મો.99988 80588) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી