કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધાયેલ સંસ્થાના શ્રમયોગીઓને મતદાન કરવા સવેતન રજા મળશે

કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધાયેલ સંસ્થાના શ્રમયોગીઓને મતદાન કરવા સવેતન રજા મળશે
અમરેલી : નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગુજરાત રાજ્ય ગુજરાત અમદાવાદની સુચનાના અનુસંધાને નાયબ નિયામકશ્રી,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી જુનાગાઢની અખબારી યાદી જણાવે છે કે આગામી તારીખ ૧૯/૧૨/૨૦૨૧ રવિવારના રોજ ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ યોજાનાર છે. આ દિવસે અમરેલી જિલ્લામાં આવેલા,કારખાના ધારા-૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારાખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)(૧) અનવયે કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકરનો ઉપયોગ કરી શકે તે માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.
આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/ કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ઓછમાં ઓછા ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલીક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવ
રિપોર્ટ રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુઝ