શિશુવિહાર સંસ્થા તથા સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીયોથેરાપીનાં સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો
શિશુવિહાર સંસ્થા તથા સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીયોથેરાપીનાં સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો
ભાવનગર શિશુવિહાર માં ખાસ હાડકા અને મસલ્સનાં દુઃખાવો ધરાવતાં પેશન્ટ માટે કેમ્પ યોજાયો. શેઠ પરિવાર (મુંબઇ) નાં સહકારથી છેલ્લાં ૪ વર્ષથી ચાલતા અને પ્રતિવર્ષ ૭૦૦૦ થી વધું દર્દીઓની સેવા આપતા ફીઝીયોથેરાપી – ફિટનેસ સેન્ટરમાં ૪૩ દર્દીઓને સહજાનંદ કોલેજનાં પ્રિન્સિપાલ શ્રી શ્રેયાબહેન ત્રિવેદીની નીગરાણી હેઠળ નિષ્ણાત ડૉ. ભાવિકાબહેન હરીયાણી , ડૉ શ્રધ્ધાબહેન ધામેલીયા તથા તેમની ટીમ દ્વારા દર્દીઓને સારવાર તથા જરુરી માર્ગદર્શન આપવામા આવ્યુ. આ કાર્યક્રમનું સંકલન સંસ્થાના કાર્યકર શ્રી સલમાબહેન અલીયાણીએ કર્યું હતુ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા