ગાંધીનગર : કંથારપુર મહાકાળી માતાજીના યાત્રા-પ્રવાસન ધામ સાઈટની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર જિલ્લાનું મનને આધ્યાત્મિક શાંતિ આપતું એક અદ્ભુત સ્થળ એટલે ગાંધીનગર નજીક આવેલું કંથારપુર મહાકાળી વડ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ સ્થાનને આપણે યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહ્યા છીએ. આજે આ સાઈટની મુલાકાત લઈ અહીં ચાલી રહેલ વિકાસ કામગીરીનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ નિરીક્ષણ કર્યું હતું.
પ્રાથમિક તબક્કે અહીં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્થળ હજી વિકસી રહ્યું છે. સમય કાઢીને આ મહાકાલી માતા ના વડ ની મુલાકાત જરૂર લેજો.
રીપોર્ટ: દિલીપસિંહ પરમાર
બ્યુરો ચીફ સાબરકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756