મોરથલ થી પાલનપુર બસ સેવા ચાલુ કરવા લોક માંગ ઉઠી

મોરથલ થી પાલનપુર બસ સેવા ચાલુ કરવા લોક માંગ ઉઠી
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકમાં બસ સેવાઓ કોરોના સમય થી ખોવરાઈ ગયેલ હજી સુધી તંત્ર દ્વારા ચાલું કરવામાં આવતા ના હોવાથી લોકો માં રોષ જોવા મળ્યો હતો.

થરાદ તાલુકામાં થરાદ થી મોરથલ બસ સેવા કોરોના સમય માં બસ થરાદ ડેપો દ્વારા બંધ કરવામાં આવી હતી.જેમા જે બસ સાંજે છ વાગ્યે મોરથલ ગામે જવા નીકળતી હતી અને ત્યાં રાત્રી રોકાણ કરી સવારે છ વાગ્યે પાલનપુર જતી હતી જેથી જે બસ માં મુસાફરો ને ડીસા કે પાલનપુર જતાં વિધાથીર્ઓ, દવાખાને જતાં દર્દી કે ધંધાર્થીઓ માટે જવા માટે ખુબ જ ઉપયોગી થતી હતી જે કોરોના સમયે થી બંધ કરી રુટ બંધ કરી નાખતા છેલ્લા ત્રણેક મહિનાથી લોકો ને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેમજ મોંઘવારી ના ખુબ ઉચા ભાડા પ્રાયવેટ વાહનો ને આપવા મજબુર બન્યા છે આ બસ નો રુટ બસ માટે પણ લાભદાયક હોવાં છતાં બસ બંધ કરવા પાછળ નું કારણ જાણવા મળ્યું નથી.જેતડા થી મોરથલ સુધી નાં દરેક ગામના લોકો ની માંગ ઉઠી છે કે જલ્દી થી બસ સેવા ફરી ચાલુ કરવામાં આવે નહીંતર મોત ની મુસાફરી કરતા વિધાર્થીઓ અકસ્માત નો ભોગ બને તો કોઈ સંકા નથી.આ બસ બંધ હોવાથી તાલુકાના મુસાફરો અવરજવર કરતા મોત ની મુસાફરી ખાનગી વાહનો માં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે જેથી જલ્દી બસ ચાલું કરવામાં આવે તેવી ૩૦ જેટલા ગામો નાં લોકો ની માંગ છે.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220526_200001.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!