ડભોઇ માં આવેલ પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

ડભોઇ માં આવેલ પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉનાળા માં આવતી કેરી ની સિઝન માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બદ્રીનારાયણ મંદિર માં આમ્ર ઉત્સવ ની હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેસર કેરી,હાફૂસ,બદામ,જેવી અનેક કેરી નો મનોરથ ભરવામાં આવ્યો હતો.કેરી મનોરથ દરમ્યાન ડભોઇ દરજી ભજન મંડળ તથા નારાયણ મહિલા મંડળ ની બહેનો ને ભજન કર્યું હતું.આ કેરી મનોરથ માં દર્શનાર્થે આવનાર દરેક ભક્તો એ કેરી અર્પણ કરી હતી.આ આમ્ર ઉત્સવ માં 13 મણ એટલે 260 કિલો નો મનોરથ કરવામાં આવ્યો હતો.દર વર્ષે ઉજવાતા આમ્ર ઉત્સવ માં મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756