ડભોઇ કાજીવાળા પાસે રીક્ષાચાલકોની સમય સૂચકતા એ મોટી હોનારત થતા અટકાવી

ડભોઇ કાઝીવાડા વિસ્તારમાં 70 થી 80 વર્ષ જૂની વાઘેશ્વરી લોજમાં આવેલ દવાખાનામાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટાળા બહાર નીકળતા કાજીવાળાના સ્થાનિક રીક્ષા ચાલકો ને ધ્યાન પડતા રિક્ષાચાલકો ને દવાખાનામાં આગ લાગી હોવાની શંકા જતા દવાખાના નું તાળું તોડી દવાખાના માં પ્રવેશતા આગના ભડકા જોવા મળ્યા હતા.જેને લઇ રીક્ષા ચાલકોએ સમય સૂચકતા અને સતર્કતા વાપરી નજીકથી પાણી લાવી આગને કાબુમાં લીધી હતી.જોકે આગ લાગવાનું કારણ સળગાવેલ અગરબત્તી થી મેડિસન ડોરના પાસેના લાકડાઓમાં અગરબત્તી અડી જતા આગ લાગવાનું માલુમ પડ્યું હતું.
આ 80 વર્ષની જૂની વાઘેશ્વરી લોજ ની ઈમારત પૂરી લાકડાથી બનેલ છે. જો સતર્કતા વાપરી રીક્ષા ચાલકો દ્વારા નજીવી લાગેલ આગને ઓલવવામાં ન આવી હોત તો આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જાવા ની પુરી સંભાવના હતી.સમયસર સુચકતા દાખવી આગ ઓલવવા બદલ રીક્ષા ચાલકો નો સ્થાનિકો એ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની સતર્કતા તેમજ બહાદુરી ને બિરદાવી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756