મોરબી: બગથળા નકલંક ધામ ખાતે તા.13મીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે

મોરબી નજીકના બગથળા ગામે આવેલ શ્રી નકલંકજીની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે આગામી તા.13 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે.
આ અંગે બગથળા ગામના શ્રી નકલંકજી જગ્યાના મહંત દામજી ભગતની યાદીમાં જણાવ્યું અનુસાર ગુરુપૂર્ણિમા નિમિતે તા.13ના રોજ બુધવારે સવારે 09:00 વાગ્યે ગુરુપૂજન અને સવારે 11:00 વાગ્યે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756