થરાદ સરકારી કોલેજમાં તિરંગે કો જાનો અંતગર્ત સ્પર્ધા યોજાઇ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ
જ્ઞાનધારા અંતર્ગત ‘તિરંગે કો જાનો’ પ્રશ્નોત્તરી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આજ રોજ આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે જ્ઞાનધારા દ્વારા ‘તિરંગે કો જાનો’ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તિરંગા અને ભારત દેશને લગતા ૭૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સ્પર્ધાનો સમય ૭૫ મિનિટ રાખવામાં આવ્યો. આ સ્પર્ધામાં ૩૪ વિદ્યાર્થીની બહેનોએ તથા ૬૧ વિદ્યાર્થી ભાઈઓએ એમ કુલ ૯૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં તિરંગાના ઇતિહાસ અને ભારતીય રાષ્ટ્રીય પ્રતીકો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. એમ. જે. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારાના કોર્ડિનેટર ડો. પ્રશાંત શર્માએ કર્યું હતું. સમગ્ર કોલેજ પરિવારના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756