‘ગૌ ટેક – 2023’ અંગે પ.પૂ.મુક્તાનંદજી બાપુના આશિર્વાદ પ્રાપ્ત થયા

‘ગૌ ટેક – 2023’ અંગે પ.પૂ.મુક્તાનંદજી બાપુના આશિર્વાદ પ્રાપ્ત થયા
રાજકોટ ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. આ આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવશે. અહી સૌ એક પરિસરમાં એકસાથે આમંત્રિત કરવામાં આવશે.
‘ગૌ ટેક – 2023’ ની વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સરકાના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકાના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં રમેશભાઈ ઠક્કરની ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ.પૂ.મુક્તાનંદજી બાપુની ચાંપરડા ધામ, જૂનાગઢ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. ગાયનું મહત્વ વધારવા અંગે ‘ગૌ ટેક – 2023’નું જે આયોજન થયું છે તે બદલ આશિર્વાદ પાઠવ્યા છે. પ.પૂ.મુક્તાનંદજી બાપુએ જણાવ્યું હતું કે ગાયનાં ધાર્મિક દ્રષ્ટિકોણને તો આપણે જાણીએ જ છીએ પણ જો તેના આર્થિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ સમજીશું તો આત્મનિર્ભર ભારત તરફ ઝડપથી આગળ વધી શકીશું. બેરોજગાર લોકો માટે રોજગારીની તકો સર્જાશે. આ માટે આગામી સમયમાં ‘ગૌ ટેક – 2023’નું જે આયોજન થયું છે તેમાં સૌ એ સહભાગી બનવું જોઈએ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300