ગરીબો અને વંચિતો સુધી પહોંચવા અને વચેટિયા નાબુદી માટે કડક સૂચના

- ૨૦૨૪ની લોકસભા પહેલા મતક્ષેત્ર માં સક્રિય બનો ની શીખ
ગરીબો અને વંચીતો સુધી કોઈ પહોંચતું નથી ગરીબો અને વંચીતો વચોટિયા થ્રુ લાંચ-રુશ્વત આપી પોતાના કામ કરાવે છે આ જ કડવી સચ્ચાઈ છે ચાલો ચૂંટણી આવી ત્યારે તમને ગરીબો અને વંચિતોની યાદ આવી એટલું સારું છે. સમય મળે તો ગુજરાત ના દરેક જિલ્લાની સરકારી કચેરીઓની તપાસ કરાવજો આપ શ્રી ને ખબર પડશે કે સાચા નું સાચું કરવાના કેટલા રૂપિયા લાંચ પેટે આપવા પડે છે કઈ કચેરી જલેબી ચલણ નથી ટોપ ટુ બોટમ અવેજ ની અપેક્ષા વગર કઈ કામ થાય નહિ રેવન્યુ પંચાયત પોલીસ પંચાયત પાલિકા અનેક અનેક જગ્યા એ તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લિજ્જત આપતી પ્રથા રિવાજ પરંપરા ચાલે જ છે. ૭-૧૨ માં વેચાણ વારસાઈ હક્ક કમીમાં નોંધ પ્રામાણિત કરવાના કેટલા ભાવ ચાલે છે તપાસ કરાવી લેજો પાછુ ઉપર આપવાના એમ કહીને વસૂલવામાં આવે છે.
દરેક જિલ્લામાં રેશન કાર્ડ થી લઈ પાસપોર્ટ ની એફઆઇઆર નોંધાવવી હોય તેને પૂછજો કે આ એફ આઈ આર નોંધાવતા કેટલી તકલીફ પડી અને કેટલી લાંચ આપવી પડે છે ગરીબ રાશનકાર્ડ ધારકોને એક કિલો તુવેર દાળ રૂપિયા ૫૦ ના ભાવે કિલો મળવાપાત્ર દરેક જિલ્લામાં દરેક બાબતો ને સરકારની પોલિસી સરળીકરણ કરવા ઓન લાઈન સિસ્ટર કરે છે પણ તંત્ર દ્વારા આર્થિક લાભ માટે અતિ જટિલ બનાવાય આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લેવા કરવી જોઈ એ ગુજરાત સારું જ બનાવ્યું હતું પણ આપ શ્રી દિલ્હી ગયા બાદ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ આવું ગુજરાત બનાવી દીધું. જેમાં ગરીબોને વંચિતોને લોહીના આંસુ થી રડવાનો વારો આવેલ છે સમય મળે તો આવા નિર્દય અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા લેવા મહેરબાની કરશો.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા