ફળપાક ઉત્પાદકતા યોજના અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
વર્ષ ૨૦૨૩-૨૪ માટે તા.૧૭ જુલાઈ,૨૦૨૩ થી તા.૧૭ ઓગસ્ટ,૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતરમાં આંબા પાકમાં હેકટરે ૪૦ હજાર અને જામફળ પાકમાં હેકટરે ૪૪ હજાર ઉપરાંત કેળ પાકના ટીસ્યુ કલ્ચર રોપામાં હેકટરે ૧૫ હજાર સહાય મળવા પાત્ર છે. આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડુતો માટે આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવી.
જે માટે ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી જરુરી સાધનિક પુરાવાઓ સાથે “નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી, જિ.અમરેલીના સરનામે મોકલી આપવી. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવો. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો સહિતના પુરાવાઓ સાથે રાખવા આવશ્યક છે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યુ છે.