હારીજ : લોકોને પીવાનું પાણી ન મળતા મામલતદાર કચેરી એ રજુઆત

હારીજ ના ઝાપટપરા વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકો એ ઉપવાસ પર બેસવાની રજુઆત મામલતદાર કચેરીમાં કરી
હારીજ ગામના બેચરાજી તરફ જતા રોડ ઉપર આવેલા ઝાપટપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી મળતું નથી નગરપાલિકાના અણઘડ વહીવટ ને લીધે આ વિસ્તારમાં ટેન્કર કે અન્ય સુવિધા પણ કરવામાં આવતી નથી હાલ ચોમાસા ની સિઝન છે તોય પીવાનું પાણી મળતું નથી તો કપરા ઉનાળામાં શું દશા થશે
આ વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું પાણી સમયસર મલે તે માટે હારીજ મામલતદાર કચેરીમાં લેખિત રજુઆત કરી છે જો તેમ છતાં પણ પાણી નહિ મલે તો આ વિસ્તારમાં આવેલા લોકો મહિલા ઓ સાથે મામલતદાર કચેરીમાં ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે તેમ લેખિત અરજી મા જણાવેલ છે
હાલ તો આ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ ઝડપથી દૂર થાય તેવી રહીશોની માગ છે
રીપોર્ટ મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300