દિયોદરની વિવિધ સોસાયટીઓમા ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

દિયોદર ખાતે ગણેશ ચતુર્થી ના દિવસે ગજાનંદ યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજી હતી જ્યાં આઝાદચોક ખાતે ગણપતિ બાપા ની સાત દિવસની સ્થાપના કરવામાં આવી હતી જેમાં દિયોદર ખાતે વિવિધ સોસાયટીઓમાં પણ ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવી છે. જેમા ભકતો મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી રહ્યા છે તેમજ ગણપતિ બાપાની આરતી પ્રસાદ નેવૈધ વગેરે ધરાવી ભાવી ભક્તો બાપાને રિઝવી રહ્યા છે.
જેમા દિયોદરના આનંદનગર, લક્ષ્મીપુરા, કુળનગર, અંબિકાનગર સહિત ની સોસાયટીઓમાં ગણપતિ બાપાની દરરોજ રાત્રે પૂજા અર્ચના સહિત ગરબાની રમઝટ જામી રહી છે. આ વર્ષ દીઓદરમાં ગણપતિ મહોત્સવમાં નવરાત્રી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અંબિકાનગર સોસાયટીમાં બહેનો દ્વારા દ૨૨ોજ અવનવા વેશભુષામા સજ્જ થઈ ગરબે રમી બાપાને રીઝવી રહ્યા છે
પ્રતિનિધિ ગંગારામ ઠાકોર બનાસકાંઠા…