ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાને “જલપ્રહરી” એવોર્ડ માટે આમંત્રણ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાને “જલપ્રહરી” એવોર્ડ માટે આમંત્રણ.
Spread the love
  • ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય તરફથી સમગ્ર ગુજરાતમાંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાને “જલપ્રહરી” એવોર્ડ માટે આમંત્રણ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં ચેકડેમ જે જર્જરિત થઈ ગયાં છે તેવા ૧૨૫ થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, ઊંચા, ઊંડાં તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ એક સરોવર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીની સ્મૃતિમાં “હીરાબા સ્મૃતિ સરોવર” પણ બનાવેલ છે જેનાથી અમૂલ્ય વરસાદી પાણીનો ખૂબ સંગ્રહ થાય છે. તેથી પૃથ્વીની સમગ્ર જીવશ્રુષ્ટિને નવજીવન મળે છે અને ખેતઉત્પાદનમાં વધારો થાય છે. જેનાથી રાષ્ટ્રની ઉન્નતી થાય છે તેથી સૌરાષ્ટ્ર પ્રદેશની ધરતીનો આકાર ઉંધી રકાબી જેવો હોવાથી વરસાદનું ઘણું બધું પાણી દરિયામાં વહી જાય છે, જેને સંગ્રહ કરવાનો શ્રેષ્ઠ ઉપાય ચેકડેમ દ્વારા વરસાદી પાણીને રોકી અને જમીનમાં પાણીના તળ ઊંચા લાવવા અતિ અવસ્યક છે.

તેથી સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી જલશક્તિ મંત્રાલય તરફથી વરસાદી પાણી બચાવવા માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયને જલપ્રહરી તા:૧૩-૧૨-૨૦૨૩ ના રોજ દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવશે . આ એવોર્ડથી સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણી ને વધુમાં વધુ બચાવવા લોકો જોડાશે અને તેનાથી સમગ્ર ગુજરાતની ધરતી હરિયાળી બનશે. વાતાવરણ સુધ્ધ થવાથી ખેત ઉત્પાદનમા ખુબ વધારો થવાથી ખેડૂતો આત્મનિર્ભર બનાવથી સધ્ધર થશે. સર્વે જીવોના આરોગ્ય સુધરશે. તેથી દેશની સમૃદ્ધિમાં વધારો થશે.

આ કાર્યને વેગ આપવા માટે સમાજના આગેવાન અને દાતાઓ શ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા, દિલીપભાઇ લાડાણી વિરાભાઈ હુંબલ, ભરતભાઇ પરસાણા, જેરામભાઈ વાંસજાળિયા, વસંતભાઈ લીંબાસીયા, વિજયભાઈ ડોબરિયા,રમેશભાઈ ઠક્કર, ભીખુભાઈ વિરાણી, અરવિંદભાઈ પાણ, જગદીશભાઇ કોટડીયા, ભરતભાઇ ભૂવા, પ્રકાશભાઇ કનેરીયા ,જિગ્નેશભાઇ પટોડીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, શિવલાલભાઈ આડ્રોજા, શતીષભાઈ બેરા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, કમલ નયનભાઈ સોજીત્રા, ઉમેશભાઈ માલાણી, બીપીનભાઈ હદવાણી, નાથાભાઈ કાલરીયા, મૂળજીભાઈ ભીમાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ગાજીપરા, મિતલભાઈ ખેતાણી, ધીરુભાઈ ચાણક્ય, રમેશભાઈ જેતાની, અશોકભાઈ મોલિયા, વિઠલભાઈ બાલધા,ભરતભાઈ પીપળીયા, લક્ષ્મણભાઈ શિંગાળા તેમજ અનેક લોકો દ્વારા આ કાર્યને સફળતામા મદદરૂપ થયેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

Picture5-0.jpg c40e1d91-5516-41b9-ba28-dbd7fd730d6a-1.jpg Picture6-2.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!