સાવરકુંડલા : બાઢડા ગામે બૂથ નં.૨૨૭મા યોજાયો “મન કી બાત” કાર્યક્રમ

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બૂથ નં.૨૨૭મા યોજાયો “મન કી બાત” કાર્યક્રમ
નારિશક્તિને સમર્પિત “મન કી બાત” નો ૧૦૯મો એપીસોડ ધારાસભ્ય કસવાલાએ બાઢડા ગામની બહેનો સાથે નિહાળ્યો.
બાઢડા ગામે તરૂણાબેન દેવાણીના નિવાસ્થાને ધારાસભ્ય કસવાલાbતાલુકા પંચાય પ્રમુખ તાલુકા યુવા ભાજપ હોદ્દેદારો સરપંચો સહીત મોટી સંખ્યામા બહેનો હાજર રહ્યા.
આજે વિશ્વના લોકપ્રિય જનનેતા અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડીઓ દ્વારા બહાર પડતુ ”મન કિ બાત” કાર્યક્રમ સંદર્ભે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બુથ નં.૨૨૭માં યોજાયો હતો. નારિશકિતને સમર્પિત આ ”મન કી બાત” કાર્યક્રમ બાઢડા ગામે બુથ નં.૨૨૭માં તરૂણાબેન દેવાણીના નિવાસ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા/લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતીમા બાઢડા ગ્રામજનો અને બહેનો સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૦૯ મો એપીસોડ “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો જેમા ધારાસભ્ય કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા બાઢડા ગામના આગેવાન અરવિંદભાઇ માંગુકીયા માજી સરપંચ ધિરૂભાઇ માલાણી તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઇ ભાલાળા મહામંત્રી શૈલેષભાઇ બારૈયા સરપંચ એશોસીએશનના પ્રમુખ તથા મેરીયાણા ગામના સરપંચ હિતેશભાઇ ખાત્રાણી અને બાઢડા ગામના મહીલા આગેવાનશ્રી તરૂણાબેન દેવાણી આ ”મન કી બાત” કાર્યક્રમમાં જોડાયા હતા. વધુમાં ધારાસભ્યશ્રી કસવાલાએ આ નારિશકિત સમર્પિત ”મન કી બાત”ના ૧૦૯માં એપીસોડમાં લોકપ્રીય નેતાશ્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રના કામમાં જોડાવવા બહેનોને હાંકલ કરી હતી તેમ ”અટલધારા” કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300