જિલ્લા બાળ સુરક્ષા એકમ-વલસાડ દ્વારા અનાથ બાળકોને માં અમૃતમ કાર્ડ આપાયા

વલસાડ,
વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ કલેકટરશ્રીના અધ્યકક્ષસ્થાાને કાર્યરત છે. જે અંર્તગત કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોની કુલ બે બાળ ગૃહ જુવેનાઇલ જસ્ટીનસ એકટ-૨૦૧૫ હેઠળ રજીસ્ટાર થઇ છે. બાળ ગૃહમાં ૬ થી ૧૮ વર્ષના બાળકોને શિક્ષણ, ખોરાક, આરોગ્યક, રહેઠાણ, સમાજમાં પુનઃસ્થાપન, કોશલ્ય વર્ધન તાલીમ, લાઇફ સ્કીીલ જેવી સગવડો આપવામાં આવે છે. સરકાર દ્વારા બાળ ગૃહમાં રહેતા અનાથ, એક વાલી, મળી આવેલ બાળકો, રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને માં અમૃતમ કાર્ડ આપવા સુચવવામાં આવ્યુંં છે. જે અંર્તગત બાળકોના આવકના દાખલા તેમજ આધારકાર્ડના પુરાવાની જરૂરિયાત રહેતા મામલતદાર વલસાડના સહયોગથી બાળકોના ઝીરો આવકના દાખલા કાઢી આપવામાં આવ્યાા હતા. ત્યાલર બાદ મુખ્યુ જિલ્લા આરોગ્યઅ અધિકારી વલસાડના સંકલન કરી સંસ્થા ખાતે જ બાળકોના માં અમૃતમ કાર્ડ કાઢવા માટે કેમ્પરનું આયોજન કરાયું હતું. વલસાડ જિલ્લાના બે બાળ ગૃહના બાળકો કે જેના વાલીવારસ ન હોય રેશન કાર્ડ જેવા પુરાવા હોતા નથી એવા બાળકોને આરોગ્યગલક્ષી સુવિધા તાત્કારલિક મળી રહે, કોઇ ગંભીર બિમારીનો સામનો કરે ત્યાયરે સારી સગવડ મળી રહે તેમજ ગંભીર બિમારીમાંથી મુકત થવા અર્થે માં અમૃતમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. વલસાડ જિલ્લાના કુલ ૬૨ અનાથ, નિરાધાર, મળી આવેલા, કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના માં અમૃતમ કાર્ડ કાઢવામાં આવ્યાભ હતા.