દામનગર આંગણવાડી કેન્દ્ર ખાતે સગર્ભા ધાત્રી સાથે સુપોષણ સંવાદ અને સીમંત સંસ્કાર કાર્યક્રમ

દામનગર આંગણવાડી કેન્દ્ર ખાતે સગર્ભા ધાત્રી સાથે સુપોષણ સંવાદ અને સીમંત સંસ્કાર કાર્યક્રમ
Spread the love
દામનગર શહેરમાં આવેલ ધામેલ રોડ ઉપર આનંદનગર સોસાયટીમાં ઓગસ્ટ માસ ના પ્રથમ મંગળવારે આંગણવાડી ખાતે સૂપોષણ સંવાદ ની ઉજવણી કરી જેમાં સગર્ભા માતાનું  શ્રીમંત કરી ઉજવણી કરવામાં આવી. ત્યાર બાદ તારીખ ૧૫-૦૮-૨૦૧૯ ના રોજ ૧૫મી ઓગસ્ટ ની ઉજવણી તથા રક્ષાબંધન ની ઉજવણી કરી તેમાં કેન્દ્ર નં-૧૦૨ ખાતે સૌ પ્રથમ વખત ૭૩ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરતા નાના ભૂલકાઓ માં અદમ્યો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આંગણવાડી વર્કર રેખાબેન કે.બોરીચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૨૦-૦૮-૨૦૧૯ ના રોજ આંગણવાડી માં  અનન પ્રારાંન જેમાં ૬ માસ થી ૯ માસ ના નાના બાળક ને પ્રથમ વખત આહાર ની શરૂઆત કરાવી તથા સાથે બાળદિન અને જન્મ દિવસ ની ઉજવણી કરી બાળકોને નવી નવી રમતો રમાડી તથા પ્રોત્સાહન રૂપે ભેટ આપી કાર્યક્રમ ની ઉજવણી કરી તથા નાસ્તો કરાવવામાં આવેલ હતો.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!