ગુજરાત સરકારે જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ જાહેર કરાયું

ગાંધીનગર,
રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેમ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત સરકાર હસ્તકના જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા આ રક્ષિત સ્મારક-કિલ્લાની દિવાલ અને ઉપરકોટનો દરવાજા ૨,૭૩,૭૩૩ ચો.મી. વિસ્તારમાં આવેલો છે તેમ, પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.