વિજયનગરમાં બેરોજગાર યુવકો માટે ભર્તીનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા માં આજ રોજ એસ.એસ.સી.આઇ .રજીઓનલ સિક્યુરિટી અને ઇન્ટેલિજેસ સર્વિસ દ્વારા વિજયનગર આર્ટસ કોલેજ ખાતે રખવામાં આવ્યો હતો જેમાં રાજપુર આઇ.ટી.આઈ તથા વિજયનગર આર્ટસ કોલેજના સયુંકત ઉપક્રમે રાખવામાં આવેલ જેમાં રાજપુર આઈ ટી.આઇ.ના આચાર્ય શ્રી. સુરેશભાઈ પટેલ અને સ્ટોરકીપર મિતેષભાઈ સુથાર તેમજ આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. એસ. મેવાડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. બેરોજગાર યુવાનો માટે ભર્તી મેળો રાખવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને શૈક્ષણિક લાયકાત ઊંચાઈ વજનને ધ્યાનમાં રાખીને આવેલ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી અને પગાર ધોરણ 10000 હજાર થી 15000 હજાર સુધીનો હતો અને વિવિધ પ્રકારની સેવાઓ પણ ઉપલબ્ધી છે તેવી જાણકારી આપી હતી. જેમાં મોટી સાંખ્યમાં યુવાનો જોડાયા હતા સમગ્ર ભર્તી માં પસંદગી કરનાર એસ.એસ.સી.આઇ .રજીઓનલ સિક્યુરિટી અને ઇન્ટેલિજેસ સર્વિસ માંથી આવેલ રામ પ્રકાશ ને કર્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)