વિજયનગરના પરોસડાના જંગલમાં ઝાડ પર લટકી જઈ જીવનલીલા સંકેલી લીધી

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે ખેડબ્રમ્હા તાલુકાના દેથલી ગામનો વતની અને ઇડર તાલુકા ના ઉમેદગઢ ગામની હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા ઈશ્વરભાઈ મનજી ડાભી શાળામાં નહી આવતા શાળા ના આચાર્યે પરિવારને જણાવ્યું કે તમારો છોકરો સ્કુલમાં આવ્યો નથી તેથી પરિવારો ચિંતામાં પડ્યા હતા ત્યાંજ ઘરેથી ઈડરના ઉમેદગઢ હાઈસ્કૂલમાં જવા માટે નીકળેલા ઈશ્વરભાઈ વિજયનગર તાલુકાના પરસોડા જંગલમાં ઝાડ પર દોરડું બાંધી આત્મહત્યા કર્યા નું જાણવા મળતા પરિવાર ના સભ્યો વિજયનગર દોડી જઈ તપાસ કરતા લાશ ઈશ્વર ની હોવાનું માલુમ પડતા હાલતમાં ચકચાર મચી ગઇ હતી જે અંગે વિજયનગર પોલીસ ને જણાવતા પોલીસે લટકતી લાશને નીચે ઉતારી પીએમ માટે મોકલી આપી પોલીસે અકસ્માતે મોત અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)