ધનસુરાના શ્રી શુળપાણેશ્વર મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાર પ્રહરની રાત્રી પૂજા કરાઈ

ધનસુરાના શ્રી શુળપાણેશ્વર મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાર પ્રહરની રાત્રી પૂજા કરાઈ
Spread the love

મહાશિવરાત્રીના પર્વનો અનોખો મહિમા છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ધનસુરા તળાવ કિનારે આવેલા શ્રી શુળપાણેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાર પ્રહરની રાત્રી પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂજા માં 54 જેટલા લોકો એ પૂજામાં બેસવાનો લાભ લીધો હતોઅને મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. શ્રી શુળપાણેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર મહાશિવરાત્રીનું સુંદર આયોજન ઘનશ્યામભાઈ પટેલ, જ્યંતિભાઈ ભટ્ટ અને પુજારી અતુલભાઈ રાવલ એ કર્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!