જામનગરમાં વરસાદી ડોળ વચ્ચે ઉકળાટ

જામનગર શહેરમાં સતત બીજા દિવસે વરસાદી ડોળ વચ્ચે ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેથી ગામમાં પણ આંશિક વધારો અનુભવાયો હતો. બીજી બાજુ ભેજનું પ્રમાણ ૮૮ ટકા પહોંચતાં શહેરીજનોએ અકળામણનો અનુભવ કર્યો હતો. જોકે, પવનની નોંધપાત્ર ઝડપના કારણે મોડી સાંજે લોકોએ રાહત અનુભવી હતી.
– રોહિત મેરાણી (જામનગર)