કોરોનાનાં સંક્રમણ અટકાવવા ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને ચેતવણી અપાઈ

અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા આજે જાહેર ચોકમાં માઈક દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોં ઉપર માસ્ક પહેરવા તથા વારંવાર સેનિટાઈઝર દ્વારા હાથ સાફ કરવા જણાવાયું હતું. વધુમાં સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર જનતાને ચેતવણી આપવામાં આવી હતી.