સાબરકાંઠામાં મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન ફાળવણી માટે સમિતિ રચાઇ

સાબરકાંઠામાં મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન ફાળવણી માટે સમિતિ રચાઇ
હાલ સમગ્ર રાજયમાં મ્યુકર માઇકોસિસના રોગના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે.
જેમાં કોરોનાની સારવાર દરમ્યાન અને બાદમાં જોવા મળતુ એક ફંગ્લસ ઇન્ફેકશન છે.
આ ઉપરાંત સ્વસ્થ લોકોમાં પણ આ પ્રકારના લક્ષણો ધ્યાને આવી રહ્યા છે.
કોરોનાના દર્દીઓકે જેમને ડાયાબીટીસ, એચઆઇવી ઇન્ફેકશન હોય કે જેઓને લાંબા સમયથી સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તેમને ચેપ લાગવાની સંભાવનાઓ વધુ રહે છે.
આવા દર્દીઓને સારવાર માટે ઇન્જેકશન આપવામાં આવતા હોય છે.
જેની ઉપલબ્ધતા બજારમાં ઓછી છે. જેને લઇ દર્દીઓને સારવારમાં તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તેમજ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસની સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે ઇન્જેકશન મળી રહે તે માટે જિલ્લાકક્ષાએ એક સમિતિનું ગઠન કર્યુ છે.
જેમાં ડૉ. અજય મુલાણીની અધ્યક્ષતમાં રચાયેલી કમિટીમાં બે ફિઝીશ્યન એક્સપર્ટ,એક ઇએનટી એક્સપર્ટ તથા જિલ્લાના એપેડેમિક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા ઇન્જેકશન માંગણી વખતે દર્દીના કેસની વિગત, મ્યુકર માઇકોસિસના નિદાનની નકલ, તબીબનો ભલામણ પત્ર તથા આધારકાર્ડની નકલ [email protected] પર મોકલી આપવાનું રહેશે.
સાબરકાંઠાની જનતાને જિલ્લા લેવલ થયેલ આ વ્યવસ્થાનો લાભ મળશે.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા