દાહોદ આત્મનિર્ભર ગ્રામ યાત્રા: આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સ્વચ્છ ભારત મિશનને વેગવંતુ બનાવવા દાહોદમાં વિકાસ કાર્યોનો પ્રારંભ

દાહોદ
આત્મનિર્ભર ગ્રામ યાત્રા: આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સ્વચ્છ ભારત મિશનને વેગવંતુ બનાવવા દાહોદમાં વિકાસ કાર્યોનો પ્રારંભ
આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથોનું દાહોદ જિલ્લાના ગામે ગામ ઉમળકાભેર સ્વાગત
2791 વ્યક્તિગત શૌચાલયના તેમજ 45 સામૂહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે દાહોદ જિલ્લામાં પાંચે રથ વિવિધ વિકાસ કાર્યોને પહોંચતા કરવા નીકળ્યા હતા. જે તે ગામના લોકોએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે ગામના વિવિધ વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને નાગરિકોને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા. જિલ્લાના આગેવાનો સહિત સ્થાનિક અગ્રણીઓએ આ ગ્રામ યાત્રાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા.
રીપોર્ટ: નિલેશ .આર .નિનામા
દાહોદ જિલ્લા