થરાદ માં સુફ ભરત ની આગવી ઓળખ

સુફ ભરત જેની માંગ આજે વિશ્વભરમાં છે મોટા મોટા ઉદ્યોગપતિઓ, રાજનેતા, અભિનેતાઓ, અભિનેત્રીઓ અને અન્ય ખ્યાતિ નામ લોકો સુફ ભારતની વસ્તુઓને ખાસ પસંદ કરે છે, ભારતમાથી વિદેશમાં સુફ ભરતનું નિકાસ થાય છે તેમાં મોટાભાગે થરાદ ખાતે આવેલ શિવનગર સોસાયટીની બહેનોનું મોટું યોગદાન છે અને શિવનગર ની બહેનો સુફ ભરત માટે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ બનેલ છે, કલા રક્ષાના કાર્યકર દયાબેન ડોહટનું આજે ૫૦મો જન્મદિવસ હોવાથી શિવનગર સોસાયટીની સુફ ભરત કરતી બહેનોનું આજે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિમાં ગીતાબેન નાઈ ને આમંત્રણ આપવા બદલ દયાબેન તેમજ કલા રક્ષાનો ખુબ ખુબ આભાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવી શિવનગરની બહેનોને સોનેરી ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.થરાદ નાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ અન્ય બહેનો હાજર રહી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)