હળવદ  હરિકૃષ્ણ ધામ રણજીતગઢ  દ્વારા ફ્રેન્ડસ યુવા  સેવા ગ્રુપ હળવદ સહકારથી ધાબળા સ્વેટર નું વિતરણ

હળવદ  હરિકૃષ્ણ ધામ રણજીતગઢ  દ્વારા ફ્રેન્ડસ યુવા  સેવા ગ્રુપ હળવદ સહકારથી ધાબળા સ્વેટર નું વિતરણ
Spread the love

હળવદ  હરિકૃષ્ણ ધામ રણજીતગઢ  દ્વારા ફ્રેન્ડસ યુવા  સેવા ગ્રુપ હળવદ સહકારથી ધાબળા સ્વેટર નું વિતરણ

શિયાળાની આ કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને 500થી પણ વધારે ધાબળા તથા 500થી પણ વધુ સ્વેટરનું આજ રોજ – હળવદ   વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવી.

અમદાવાદ શ્રીસ્વામિનારાયણ મંદિર – કાળુપુરમાં બિરાજમાન શ્રીનરનારાયણ દેવનો 200 મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે. તેના ઉપલક્ષમાં શ્રીહરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે. તે નિમિત્તે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રીવિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ સદ્. શ્રીભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે, આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીહરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેક સેવા અવિરતપણે ચાલુ જ હોય છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20211218-WA0085-0.jpg IMG-20211218-WA0082-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!