મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદેદારોની વરણી

ભગવાન શ્રી પરશુરામ દાદા ના જન્મોત્વ નિમેતે પરશુરામ યુવા ગ્રુપ મોરબી પ્રમુખ નિરજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોરબીના ભુદેવો બોહળી સખ્યાંમાં જોડાયા હતા ભગવાન પરશુરામની શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
શહેર ના મુખ્ય માર્ગ પર થઈ ને પરશુરામ ધામ નવલખી રોડ ખાતે પૂર્ણ થયેલ હતી પરશુરામ ધામ ખાતે મહા આરતી તેમજ અન્નકોટ દર્શન કરી મહાપ્રસાદનું આયોજન કરવા આવ્યું હતું તેમજ પરશુરામ ધામ ખાતે નીરજભાઈ ભટ્ટની સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા ના મહામંત્રી તરીકે વરણી કરવામા આવી હતી તેમજ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી જેમાં પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દવેની વરણી કરવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્મસમાજ જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ કરેલ હતું.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756