જામનગરના પવન ચક્કી વિસ્તારમાં રહેતા યુવાનનોએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો

અકસ્માતે મૃત્યુની નોંધ કરી પોલીસની તપાસ જામનગરમાં પવન ચક્કી વિસ્તારમાં રહેતા એક ૪૦ વર્ષીય યુવાને પોતાની માનસિક બીમારી તેમજ ખેંચ ઉપાડવાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની સિટી-એ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ દોડી ગઈ હતી પોલીસે મૃતકના પરિજનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. જામનગરમાં પવનચક્કી બાવાવાડ વિસ્તારમાં રહેતા સંજય કાંતિલાલ હંજડા નામના ચાલીસ વર્ષીય યુવાને પોતાની ખેંચ ઉપડવાની બીમારી તેમજ માનસિક બીમારીથી તંગ આવી જઈ રવિવારે સાંજે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની સિટી-એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતકના પરિજનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756