જાફરાબાદ : ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી

જાફરાબાદ માં આવનારા તેહેવારોને અનુલક્ષી ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી
તા/૭/૦૮/૨૦૨૨ ના રોજ જાફરાબાદના ખાતે ટાઉન પોલીસ સ્ટેશનમાં આવનારા તેહેવારને જેવા કે મોહરમ, રક્ષાબંધન, તેમજ જન્માષ્ટમીના જેવા તહેવારો ને અનુલક્ષી શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગ માં ડીવાયએસપી શ્રી ઓઝા સાહેબ ના માગૅદશૅન હેઠળ તેમજ પીઆઈ જે જે ચૌધરી સાહેબે મિટિંગ માં આવેલ વિવિધ સમાજના આગેવાનો , તેમજ અલગ અલગ સંસ્થાઓ ના હોદેદારો તેમજ પત્રકાર શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ ચૌધરી સાહેબે આ તહેવારો અમન અને શાંતિ પૂર્વક ઉજવાય એવી સૌને અપીલ કરી હતી કોઈ પણ બનાવ બને તો પોલીસ ને તુરંત જાણ કરવી ને કાયદો કોઈ પણ હાથમાં લેશો નહીં તેવી અપીલ ડીવાયએસપી શ્રી ઓઝા સાહેબે કરીહતી હાજર રહેલા સૌ આગેવાનો એ તહેવારો શાંતિ પૂર્વક ઉજવણી કરવાની તેવી ખાતરી આપી હતી તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું આ મિટિંગ શાંતિ પૂર્વક વાતાવરણ પૂરી થઈ હતી પીઆઇ ચૌધરી સાહેબે ઉપસ્થિત રહેલા આગેવાનો તેમજ પત્રકાર નો આભાર માન્યો હતો
રિપોર્ટ : કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756