વિશ્વઉમિયાધામ ખાતે વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાના સ્વાસ્થ્ય માટે મા ઉમિયાની મહાઆરતી*

*વિશ્વઉમિયાધામ ખાતે વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાના સ્વાસ્થ્ય માટે મા ઉમિયાની મહાઆરતી*
દેશના પ્રખર રાષ્ટ્રભક્ત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતૃશ્રી હિરાબાના સારા સ્વાસ્થ્ય અને ઝ઼ડપથી સ્વાસ્થ્ય સુધારાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. હિરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિશ્વઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી. પટેલ, ઉપપ્રમુખશ્રી ડિ. એન.ગોલ, ખજાનચી શ્રી કાંતિભાઈ રામ સહિત વિશ્વઉમિયાધામના મહિલા એવમ્ મુખ્ય સંગઠનના અમદાવાદ શહેરના હોદ્દેદારો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.
*માતૃશ્રી હિરાબાનું સ્વાસ્થ્ય ઝડપથી સ્વસ્થ થાય એવી મા ઉમિયાને પ્રાર્થનાઃ આર.પી.પટેલ*
હું એવું અંગત પણે માનું છું કે માણસને કોઈ પણ ઉમરે માની મમતા અને વ્હાલ સૌથી વધુ ગમે છે. તેવા જ સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબા અસ્વસ્થ હોય ખુબ ચિંતાનો વિષય છે. ત્યારે વિશ્વઉમિયાધામના સૌ ટ્રસ્ટી મિત્રો અને સંગઠનના મિત્રોએ આજે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરી છે તેઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધારા પર આવે અને સ્વસ્થ્ય થાય.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756