હાંસોટના સુણેવકલ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ

હાંસોટના સુણેવકલ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ
Spread the love

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવક્લ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ જશુબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભરતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ધ્વારા ગ્રામ પંચાયતના નવા મકાનને રિબીન કાપીને ખૂલ્લૂ મુકવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ – સૌના વિકાસને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. તેમણે છેવાડાના નાગરિકોના પ્રશ્ર્નો માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી સુણેવકલ્લા ગામે તથા હાંસોટ – અંકલેશ્વર તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. તેમણે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક ધ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં “ સંવેદના વન ” નિર્માણના કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા આગેવાન, શ્રી મગનભાઈ વસાવા, શ્રી અજીતભાઈ પટેલ, હિતેન્દ્ર સોલંકી, શ્રી સુરેશભાઈ પટેલ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, આગેવાન-પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!