હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ

તાજેતરના ભારે વરસાદને કારણે ભરૂચ જિલ્લાના ઘણાં ગામોને પુરની અસર થઈ હતી. રાજ્યના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકામાં આવેલ બાડોદરા, બાલોતા, જુના આસરમા, જુના ઓભા ગામોની મુલાકાત લઈ પૂર અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. મંત્રીશ્રીએ વહીવટીતંત્ર, જીઈબી, તલાટીશ્રીઓને ગ્રામજનોના વિવિધ પ્રશ્ર્નો તાકીદે હલ કરવા સુચના આપી હતી. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે સબંધિત વિભાગના અધિકારીગણ, આગેવાન પદાધિકારીઓ જોડાયા હતા.