સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

ભરુચ શક્તિનાથ ખાતે આવેલ પાંજરાપોળ માં ગૌ વંશ સંવર્ધન,ગૌ રક્ષા અને ગૌ સેવાનાં શુભ સંકલ્પ સાથે ગૌ માતાની પૂજા-અર્ચના કરવામાં આવી અને ઘાસચારો અવડાવવામાં આવ્યો. જ્યારે પક્ષીઓને માટે ચણ નાંખી અને પક્ષીઓના ચણ માટે વધુ અનાજની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
ગૌ-માતા એ પૃથ્વી ઉપરની કામધેનુ કહેવાય છે.ગૌ-માતાનાં દૂધ, દહીં, માખણ, છાસ, ઘી વગેરેમાં માનવનાં તન, મન વગેરેને પુષ્ટી કરી, પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી જ હોય છે. ગૌ-માતાના આશીર્વાદ આ લોક અને પરલોક સુધારી આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયો ચારી, ગૌ-સેવા અને ગૌ-પૂજા કરી સમગ્ર વિશ્વને ગોપાલનનો, ગૌ-સેવાનો અને ગૌ-પૂજાનો સંદેશો આપેલો .
તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ ની ધરોહર ગૌ વંશ ને બચાવવા માટે આ કાર્યક્રમ નું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.