જાફરાબાદ તાલુકાના માછીમારો ની મુશ્કેલીઓનો ચિતાર મેળવતા મંત્રી સૌરભભાઈ પટેલ

જાફરાબાદ તાલુકાના માછીમારો ની મુશ્કેલીઓનો ચિતાર મેળવતા મંત્રી સૌરભભાઈ પટેલ
Spread the love

જાફરાબાદ તાલુકાના માછીમારો ની મુશ્કેલીઓનો ચિતાર મેળવતા મંત્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય ના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જાફરાબાદ તાલુકાના માછીમારોને રુબરુ મળીને તેમની મુશ્કેલીઓનો વિગતવાર ચિતાર મેળવ્યો હતો.

તાઉતે વાવાઝોડાથી દરિયા કિનારે નિર્માણ પામેલ વિકટ પરિસ્થિતિથી મંત્રી વાકેફ થયા હતા. ફીશીગ નેટ, કિનારે થયેલી તારાજી, બોટને થયેલા નુકસાન, ઝૂંપડાની ક્ષતિ, પડી ગયેલા વૃક્ષોને હટાવવા, વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા વગેરે અંગે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ મંત્રી સૌરભભાઇને માહિતગાર કર્યા હતા. મંત્રી સૌરભભાઈએ સંપૂર્ણ સંવેદના સાથે તેમની વ્યથા સાંભળી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

મંત્રી સૌરભભાઇ પટેલ જાફરાબાદ તાલુકાના કોવાયા, ભાકોદર, પીપરીકાઠા, બાબરકોટ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક નાગરિકોને મળ્યા હતા. અને સમભાવપૂર્વક તેમની તકલીફો સાંભળી તેનું ત્વરિત નિરાકરણ લાવવા ધરપત આપી હતી.

મંત્રી સૌરભભાઇ સાથે સાંસદ નારણભાઈ કાછડીયા, અગ્રણી મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અગ્રણી રવુભાઈ ખુમાણ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG_20210524_182351.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!