અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરમાં આવેલ મિનિ વાવાઝોડામાં રાહત કાર્ય

જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવો બન્યા હતા. જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાની ટીમ સતત દોડતી રહી હતી અને માર્ગો પરથી વૃક્ષો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગરના કાર્યકરો પણ રાહતકાર્ય માટે આગળ આવ્યા હતા અને વૃક્ષો લોકો માટે નડતર રૂપ ન બને તે માટે કાર્યકર્તા દ્વારા આ વૃક્ષોને મુખ્ય માર્ગ પરથી હટાવવા કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)