જામનગર ના મનપા ની બિલ્ડિંગ માં શૌચલાય-બાથરૂમમાં પાણી ન આવતા કોર્પોરેટર રચનાબેને બાથરૂમમાં જ નાખ્યા ધામા

જામનગર મહિલા કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જામનગર કોર્પોરેશનના શૌચલાય અને બાથરૂમમાં પાણી ન આવતા કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા બાથરૂમમાં જ ખુરશી નાખી બેસી ગયા હતા. પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. અને તેમણે હજારોની સંખ્યામાં આવતા અરજદારોને હાલાકી થતી હોવાથી ફરિયાદ કરી હતી.