જામનગર રેલવે સ્ટેશનમાં પંખા બંધ, ગરમીથી યાત્રિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

• પ્લેટફોર્મ નંબર ૧ના છેવાડાના ભાગમાં તો પંખાની સુવિધા નથી
જામનગર રેલ્વે સ્ટેશનના બન્ને પ્લેટફોર્મ પર યાત્રિકોની સુવિધા માટે મુકાયેલા પંખા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર રેલવે સ્ટેશનના બન્ને પ્લેટફોર્મ પર યાત્રિકોની સુવિધા માટે મુકાયેલા પંખા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર રેલવે સ્ટેશનના બન્ને પ્લેટફોર્મ પર યાત્રિકોની સુવિધા માટે સીલીંગ ફેન મૂકવામાં આવ્યા છે. પરંતુ પંખાઓ ફક્ત રેલ્વે સ્ટેશનની શોભા વધારી રહ્યા છે.
કારણે કે છેલ્લા બે દિવસથી બંને પ્લેટફોર્મ પર પંખા બંધ છે. જેને કારણે યાત્રીકો પરસેવે રેબઝેબ થઇ જાય છે. વળી આટલું ઓછું હોય તેમ પ્લેટફોર્મ નંબર ૧ના છેવાડાના ભાગમાં પંખાની સુવિધા નથી. જેને કારણે મુસાફરોને ફરજિયાત પણે ગરમીમાં ટ્રેનની રાહ જોવી પડે છે. તો વળી અઠવાડિયાથી શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. તેમ છતાં તંત્ર દ્વારા પંખાને ચાલુ કરવાની તસ્દી લેવામાં આવતી નથી.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756