જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારની ચકચારી ઘટના

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારની ચકચારી ઘટના
Spread the love

• કાકાજી સસરાએ દસ્તાવેજ ન કરી આપતા ગળાફાંસો

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘેર ગળાફાંસા ખાઇ આપઘાત કરી લીધો છે. જેમાં જમીનના દસ્તાવેજોમાં કુટુંબી કાકાજી સસરા સહી કરી આપતા ન હોવાથી તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર ૮માં રહેતી ભાવનાબેન અરવિંદભાઈ આસોદરીયા નામની ૫૪ વર્ષની મહિલાએ સોમવારે રાત્રે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ અરવિંદભાઈ વલ્લભભાઈ આસોદરીયા એ પોલીસને જાણ કરતાં સીટી એ. ડીવીઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભાવનાબેનના કુટુંબી કાકાજી સસરા હસમુખભાઈ પરસોતમભાઈ કે જેઓ પાસેથી જમીન ખરીદ કરી હતી જે જમીનના તમામ પૈસા આપી દીધા હોવા છતાં જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા. જેથી તેની ચિંતામાં આપઘાતનું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

untitled1606643587_1647003669.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!