શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?

શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
શિક્ષણ જો સમાજ વ્યવસ્થામાં પરિવર્તન ન કરી શકે, તો તેનો કોઈ અર્થ ખરો?
સુરત માં આગામી ૨૫ ડિસેમ્બરે રેશનાલિસ્ટ યુવક જનક બાબરીયા દ્વારા સામાજિક સંરચના ઓમાં રિવાજ પરંપરા દેખાદેખી નામે ચાલતી વ્યવસ્થા સામે અનેકો વિચાર પ્રેરક પ્રશ્નાર્થ સાથે યોજાશે લગ્નોત્સવ
શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
લગ્ન પ્રસંગે આપણે ઉચ્ચ વર્ણની નકલ સમજ્યા વિના કરીએ છીએ. જિંદગીમાં ક્યારેય સાફો બાંધવાનો ન હોય, છતાં વરરાજા સાફો બાંધે છે. તૈયાર સાફામાં વરરાજા વિદૂષક જેવા લાગે છે. વરરાજા તલવાર કે કટાર રાખે છે ! આ બધી સામંતી પ્રથા છે, જે લોકશાહી સમાજમાં બંધ બેસતી નથી. બીજું ઉપલો વર્ગ લગ્નપ્રસંગ જે રીતે ઉજવે છે તેની નકલ મધ્યમવર્ગ કરે છે; મધ્યમવર્ગની નકલ નીચલો મધ્યમવર્ગ અને ગરીબ કરે છે. તેથી વ્યાજખોરોનો ધંધો ચાલે છે. આ દૂષણ દેખાદેખીના કારણે ટકેલું છે. મીઠાં લગ્નગીતોનું સ્થાન હલકા ફિલ્મી ગીતોએ લઈ લીધું છે. જાહેર રોડ પર કિંમતી વેશભૂષામાં ગરબા લેવાય છે. લગ્નપ્રસંગ વેળાએ ‘ઈવેન્ટ મેનેજર’ની ભૂમિકા વધી ગઈ છે; તેના કારણે લગ્નપ્રસંગ, ફિલ્મી/નાટકીય બની ગયો છે. શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
રેશનાલિસ્ટ જનક બાબરિયાના બહેન ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત મુકામે છે; તેનું આમંત્રણ કાર્ડમાં નોંધ મૂકી છે : “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા (રોકડ)/ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”સમય સાથે લગ્નપ્રસંગમાં પણ ફેરફાર થવો જોઈએ. આપણે શિક્ષિત થયા છીએ, વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા થયા છીએ, તે મુજબ સામાજિક પ્રસંગો ઊજવવા જોઈએ. જૂની/બિન જરુરી રુઢિઓને તિલાંજલિ આપવી જોઈએ. લગ્ન એ દેખાડાનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી જોઈએ. મામેરાની પ્રથા પણ અજુગતી લાગે છે; દેખાદેખીના કારણે મામા વ્યાજ ભરતા થઈ જાય છે !
આપણે ત્યાં ડીગ્રી ધારકો પણ અલગથી વિચારતા નથી. આગળથી ચાલી આવતી પ્રથાને અનુસરે છે. શિક્ષણ જો સમાજ વ્યવસ્થામાં પરિવર્તન ન કરી શકે, તો તેનો કોઈ અર્થ ખરો? આશા રાખીએ કે જનક બાબરિયાની માફક યુવાનો સામાજ પરિવર્તનની દિશામાં વિચારશે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756