રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ ને નવજીવન લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ ને નવજીવન લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
Spread the love

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ ને નવજીવન લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ થી લઇ ને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો ને વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ નો લાભ મળે છે. લાઠી તાલુકા ના મતીરાળા ગામ ની બાળકી ને ત્રણ વર્ષ પહેલાં લ્યુકેમિયા નામનું લોહી નું કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ અંગે આરોગ્ય વિભાગ ને જાણ થતાં લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર અને તેમની ટીમ દ્વારા તુરંત બાળકી ની ઘરે મુલાકાત લઈ તેની તપાસ કરી, રિપોર્ટ જોઈ અમરેલી આરોગ્ય વિભાગ માંથી ખર્ચ ની મંજુરી મેળવી, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સુપર સ્પેશિયલ સારવાર અંગે તેના વાલી ને માર્ગદર્શન આપી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલ્યા હતા. ત્યાં ૯ માસ સુધી નિયમિત તબક્કાવાર કીમોથેરાપી અને ૨ વર્ષ સુધી અન્ય આધુનિક પદ્ધતિ થી સારવાર કર્યા બાદ તજજ્ઞ તબીબો દ્વારા તેને કેન્સર થી ભયમુક્ત જાહેર કરી હતી. હાલ માં પણ દર માસે અમદાવાદ ખાતે તેના રિપોર્ટ કરતા સંપૂર્ણ નોર્મલ પરિણામ આવે છે. સારવાર અંગે બાળકી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ બાળકી ના આ રોગ અને સારવાર વિશે ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એની બાળકી ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ લાઠી ના ડો. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. સાગર પરવડિયા અને શાળા આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230113-WA0014.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!