અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજને રાજકોટના અમરેલી ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે આમંત્રણ

- અંકલેશ્વર જીઆઇડીસી માં સરદાર પટેલ સેવા સમાજ, સરદાર ભવન ખાતે નરેશ પટેલ નું ખોડલધામ સમિતિ દ્વારા સ્વાગત કરાયું
- રાજકોટ ના અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ નું નિર્માણ થશે
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ, સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ૨૧ જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના થનારા ભુમીપૂજનમાં પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા. આ પ્રસંગે ખોડલ ધામ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે નરેશ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ, સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિ ના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટે ની કેન્સર હોસ્પિટલ ની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.
આ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે વરદાનરૂપ સાબીત થશે આ પ્રસન્ગે અંકલેશ્વર ભરૂચ સહીત તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ જીલ્લાના ખોડલ ધામના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્લા હતા. ભૂપતભાઇ રામોલીયા, હિમતભાઇ શેલડીયા, પંકજભાઈ ભુવા, તથા જીલ્લાના તમામ સમિતિના કન્વીનરો તથા સહ કન્વીનરો તથા કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)