દેશની અદાલતોમાં ૩.૫૦ કરોડ કેસ પેન્ડિંગ,૮૫૦૦ નવા જ્જાની તાકીદે જરૂર

ન્યુ દિલ્હી,
દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધુ કેસો છેલ્લાં કેટલાંય વરસોથી પેÂન્ડંગ છે. ઓછામાં ઓછા ૮,૫૦૦ નવા જજાની તાકીદે જરૃર છે એવી માહિતી સંસદમાં અપાઇ હતી. ગયા વરસે ચીફ જÂસ્ટસ દીપક મિશ્રાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદમાં માહિતી આપતાં કાયદા પ્રધાને કÌšં કે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં મળીને ૮,૫૦૦થી વધુ જજાની તાકીદે જરૂર છે. દિવસે દિવસે કેસની સંખ્યા વધતી જાય છે. આ પરિÂસ્થતિ જાખમી છે. આમ જનતાનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય એ પહેલાં પગલાં લેવાની જરૂર છે.
દેશમાં સૌથી વધુ કેસો અલાહાબદ કોર્ટમાં પેÂન્ડંગ છે. અહીં ૭,૩૦,૩૦૫ કેસ ઊભા છે. એજ રીતે નીચલી અદાલતોમાં કેસના ભરાવા બાબતમાં પણ ઉત્તર પ્રદેશનો પહેલો ક્રમ છે. અહીં નીચલી અદાલતોમાં ૭૪ લાખ, ૭૮ હજાર ૯૩ કેસ ઊભા છે. જજા નહીં હોવાથી કેસની સંખ્યા પરીકથાની રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. ગુજરાત રાજ્યમાં ૧૬ લાખ, ૯૭ હજાર ૮૧૪ કેસ ઊભા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટÙ મળીને ૭૮ ટકા (૩,૯૭૮) જજાની જગ્યાઓ ખાલી છે જે તાકીદે ભરવી જાઇએ.