આદર્શ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી પ્રસંગ કથની સ્પર્ધા

પી.એમ.જી.ઠાકર આદર્શ વિદ્યાલય કડી મુકામે સ્વામી વિવેકાનંદજીના જીવનના પ્રેરક પ્રસંગોના કથનની સ્પર્ધા યોજાયી ગયી.જેમાં ધોરણ – 11 અને 12 ના મળી કુલ 17 વિદ્યાર્થીઓએ વિવેકાનંદજીના જીવનમાંથી લેવા જેવા તમામ ગુણોથી પોતાના જીવનને ઉજાગર કરવાના પ્રણ લીધા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ક્રિયાશી લક્ષ્મણભાઇ પટેલ તથા દ્વિતીય ક્રમે ખુશી જીતેન્દ્રભાઈ પટેલ અને વિજય રસિકભાઈ પટેલ તથા તૃતીય ક્રમે દિયા રાજેશભાઇ પંચાલ રહ્યા હતા. શાળાના બધા શિક્ષકોએ કાર્યક્રમની ઉજવણી કરી હતી.