સાબરકાંઠા SOG પોલીસે બે વષૅથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપ્યા

- પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ
સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી, ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ છે જે અન્વયે અેસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના અ.હે.કોન્સ. કાળુભાઇ આ.પો.કોન્સ. ભાવેશભાઇ તથા આ.પો.કોન્સ.ગોવર્ધનભાઇ તથા આ.પો.કોન્સ.નિકુંજકુમાર તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો ખાનગી વાહનમાં હિંમતનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગમા ફરતા ફરતા સિવિલ સર્કલ ખાતે આવતાં ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે,
પ્રાંતિજ પો. સ્ટે. થર્ડ ગુ.ર.નં-૧૫૬/૧૮ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ.,ઇ, ૧૧૬ બી, ૮૧, ૯૮ (૨) મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી (૧) રાહુલ રતિલાલ ભગોરા તથા (૨) કમલેશ બચુભાઇ ભગોરા બન્ને રહે. ભુતાવડ, તા. ભિલોડા જી. અરવલ્લીવાળાઓ હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેશન ખાતે ઉભા છે. તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તે નાસતા ફરતા આરોપી (૧) રાહુલ રતિલાલ ભગોરા તથા (૨) કમલેશ બચુભાઇ ભગોરા બન્ને રહે. ભુતાવડ તા. ભિલોડા જી.અરવલ્લી વાળા મળી આવતાં સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સાંપવામાં આવ્યા હતા. આમ, એસ.ઓ.જી. સાબરકાંઠા ને બે નાસતા ફરતા આરોપી પકડવામાં વધુ એક સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)